• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • બનાસકાંઠા: 750 વર્ષોથી એકપણ મકાન ધાબાવાળું નથી, ધાબાવાળુ મકાન બનાવતા તોડી પાડવામાં આવે છે,જાણો આ ગામની પરંપરા...

બનાસકાંઠા: 750 વર્ષોથી એકપણ મકાન ધાબાવાળું નથી, ધાબાવાળુ મકાન બનાવતા તોડી પાડવામાં આવે છે,જાણો આ ગામની પરંપરા...

11:22 AM June 14, 2022 admin Share on WhatsApp



ભારત દેશનો ઈતિહાસ અદ્દભુત છે, ભવ્ય વારસાની ઝાંખી કરાવતી ઇમારતો, રિવાજો તથા પરંપરાઓ હજૂ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામમાં આવી જ એક પરંપરા છે, જે 750 વર્ષથી ચાલી આવે છે. આ રિવાજ હેઠળ આ ગામના લોકોમાં કોઇના મકાનમાં ધાબાનું પાકું ચણતર નથી, તેના બદલે ઠેર-ઠેર નળિયાવાળા જ મકાનો જોવા મળે છે. કોઇ મકાનની છત પર પાકું સિમેન્ટવાળુ ધાબુ નથી.

પેપળુ ગામમાં 750 વર્ષ જૂનું પૌરાણિક સમયનું નકળંગ દેવનું મંદિર આવેલું છે. આ ગામમાં એક હજારથી પણ વધુ મકાનો નળિયાવાળા છે અને એકમાત્ર નકળંગ દેવનું મંદિર જ આ ગામમાં ધાબાવાળું હોવાના કારણે વર્ષો બાદ આ ગામમાં કોઈપણ વ્યક્તિ ધાબાવાળું મકાન બનાવી શકતો નથી. જે કોઇ પણ આ ગામમાં ધાબાવાળું મકાન બનાવે છે તે મકાન થોડા સમય બાદ તે વ્યક્તિને જાતે જ તોડવું પડે છે. આ ગામમાં વર્ષોથી રહેતા લોકો આજે પણ આ ગામમાં કોઈ વ્યક્તિને ધાબાવાળું મકાન બનાવવા દેતા નથી.

વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામનો રાજા થઇ ગયો. તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણના રાજ્ય પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરીછુપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતા. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લીધે પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈબીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા. આ બખ્તર આજે પણ હયાત છે, અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 750 વર્ષથી જાળવી રાખી છે.

પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈબીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હડીલા ગાય છે. ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે.. લગભગ 100થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.

પેપળુ ગામમાં એક હજારથી પણ વધુ ગ્રામીણ સંસ્કૃતિને વરેલા આ મકાનો આવેલા છે. પેપળુ ગામ એ 4 હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામ છે. આજે જ્યારે દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે આ ગામમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં આવી છે. તેમજ આ ગામના લોકો આવનારી પેઢી પાસે પણ આ પરંપરા જાળવવાનો આગ્રહ સેવી રહ્યા છે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us